Monday, 21 July 2025

My Family, Happy Family

My Family, Happy Family
મારો પરિવાર,સુખી પરિવાર
by Pujya Dr. Gnanvatsaldas Swami.

પરિવારમાં એકબીજાની મર્યાદા જાણી લીધી પછી તેનાથી ટેવાઈ જવાનું
Know your all family members 

શિસ્ત અને નિયમ
No social Network chatting 
Don't cross your red line
વડીલો પ્રત્યે આદર,પ્રેમ અને સેવા
સંપીને, સમજીને, સાથે રહેશો તો સુખી થશો.

સંતાનોને શિક્ષણ સાથે સંસ્કાર આપો
ભગવાન પ્રત્યેની શ્રદ્ધા જગાડો
જીવનમાં શ્રદ્ધા ભક્તિ દૃઢ કરો

ઘરસભા
વિશ્વશાંતિ આપશે

સમાપન
T - Tolerance - સહનશીલતા 
A - Acceptance - સ્વીકૃતિ 
A - Apology - માફી
C - Compromise - સમાધાન

Courtesy: Narendra Rathod 

Sunday, 26 January 2025

બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર, નારણપુરા ઘાટલોડીયા મંદીર -ખાત મુહુર્ત

 







બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર, નારણપુરા ઘાટલોડીયાનો આજે પોષ વદ બારસ તારીખ 26 જાન્યુઆરી 2025 ના રોજ સવારે સદગુરુ પુ. ઈશ્વર ચરણદાસ સ્વામીના હસ્તે ખાત મુહુર્ત વિધિ કરવામાં આવ્યો.

જેમાં અમદાવાદ મંદિરના કોઠારી પૂજ્ય ધર્મ તિલક સ્વામી, પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી, મધ્યસ્થ કાર્યાલય ના પૂ. યજ્ઞ પ્રિય સ્વામી તેમજ પૂજ્ય યોગેશ્વર સ્વામી અને અન્ય સંતો તેમજ નારણપુરા, ઘાટલોડીયા, સોલા અને વાડજના હરિભક્તોની વિશાળ હાજરીમાં આ પ્રસંગ યોજાઈ ગયો.

તમામ સંતો અને બાઈ ભાઈ હરિભક્તો દ્વારા મંદિર નિર્માણના પાયામાં ઇષ્ટિકા એટલે કે ઈંટ મૂકીને એક યાદગાર સ્મરણિય સત્સંગ પ્રવૃત્તિ કરી. ટુંક જ સમયમાં એટલે કે આવનાર દેવદિવાળીના દિવસે મંદિર તૈયાર કરી અને પ્રતિષ્ઠા કરવાનો પણ સંકલ્પ કરેલ છે.

આપણે સૌ તને મને ધને સેવા કરી ધન્ય બની આ સંકલ્પ પરિપૂર્ણ કરીએ અને ભગવાન અને સંતની પ્રસન્નતા પ્રાપ્ત કરીએ એ જ અભ્યર્થના સાથે જય સ્વામિનારાયણ.

નરેન્દ્ર રાઠોડ
અમદાવાદ
26-01-2025

Tuesday, 19 December 2023

ધીરજ

ધીરજ ધક્કો મારવાનું નહીં, પરંતુ જીવન રમતની રાહ જોવાનું અને પ્રશંસા સાથે વિવેક કરવાનું શીખવે છે, 
એ જાણીને સમજીને જીવીશું તો સમય જતાં જીવન બદલાઈને પલ્લવિત થઈજશે.

Thursday, 14 December 2023

અમેરિકા અક્ષરધામ મહોત્સવ


અમેરિકા અક્ષરધામ મહોત્સવ અંતર્ગત કોઈપણ વિડિયો જોવાની બાકી હોય તો આ લીંક દ્વારા જોઈ શકાશે.

Murti Pratishtha Ceremony Click

Celebrating Sanatan Dharma Click

Celebrating Indian Culture Click

Diksha Ceremony Click

Celebrating Values & Non-Violence Click

Celebrating Women’s Contribution Click

Murti Pratishtha Ceremony Click

Celebrating Interfaith Harmony Click

Celebrating Community Click 

Celebrating “In The Joy Of Others” (Pramukh Swami Maharaj Day) Click

Celebrating Spiritual Legacy (Mahant Swami Maharaj’s Birthday Celebrations) Click

Akshardham Murti Pratishtha Ceremony (Finale) Click 

Grand Dedication Ceremony Click


 જય સ્વામિનારાયણ
source: WhatsApp 

Tuesday, 12 December 2023

Think in new way

તમે જ તમારા વિચારો તમને તમારા ભાગ્યના નિર્માતા છો.

આજથી નવી રીતે વિચારો અને તમે નવા વ્યક્તિ બનશો. 

Give to the best you have
Best will come back to you
                - Narendra Rathod 
બધાને સુખ આપો અને તમે શાંતિથી જીવશો.  તમારા મનની શાંતિ, તમારી આસપાસની શાંતિની દુનિયા બનાવશો.
All the Best 👍

Sunday, 10 December 2023

બિલ્લી આવે તો ભાગ જાનાં....

બિલ્લી આવે તો ભાગ જાનાં....
એવો પ્રાપ્તિનો વિચાર થાય છે !!!!!!!

એટલે કે..
સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વના કર્તા કારણ અને નિયંતા ભગવાન સ્વામિનારાયણ છે
અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી મહારાજને રહેવું ધામ છે સત્પુરુષ છે

પ્રગટ ગુણાતીત સત્પુરુષ અખંડ સમ્યક પ્રકારે એ ભગવાનના ધારક સંત છે મોક્ષનું દ્વારા છે જે પ્રગટ પ્રમાણ મને સાક્ષાત મળ્યા છે મારા પ્રશ્નનો સાંભળ્યા છે, માર્ગદર્શન અને આશીર્વાદ આપી રહ્યા છે 

અને હું એ આ દેહ નથી હું પવિત્ર શાંત અને સર્વોચ્ચ દિવ્ય આત્મા છું અને મારામાં પણ એ પરમ પરમાત્માનો અંશ રહેલ છે 
હું અક્ષર છું મુક્ત છું પુરુષોત્તમ નો દાસ છું

મારા બહુ મોટા ભાગ્ય છે કે આ સત્સંગ, આ ભગવાન અને આ પ્રગટ સંત સાથે મારા દેહ અને આત્માનું મને જ્ઞાન થયું

વર્તમાન કાળે એજ પ્રગટ સત્પુરુષ ની આજ્ઞા છે કે ઉપર જણાવ્યા પ્રમાણે પ્રાપ્તિનો વિચાર સંત શાસ્ત્ર અને આજ્ઞા અને ઉપાસના મુજબ નિત્યપ્રત્યે ભાવથી અને અંતરના ઊંડાણથી કરવો 

નરેદ્ર રાઠોડ
10 ડિસેમ્બર 2023
10.05am
Sydney Australia 

Thursday, 2 November 2023

ગઢડા અંત્ય ૯ - સારાંશ




             ગઢડા અંત્ય ૯ - સારાંશ 
જે અમારા મોટા મોટા પરમહંસ છે તેની જેવી સ્થિતિ છે ને સમજણ છે તે અમે તમને બાઈ-ભાઈ સર્વને કહીએ

પોતાના હૃદયને વિષે જે જાણપણું છે તે ભગવાનના ધામનો દરવાજો છે. તે દરવાજા ઉપર સર્વ સંત ઊભા છે. 

તો તે દૃષ્ટાંતે કરીને કહીએ છીએ જે
• જેમ રાજાના ચાકર છે
• જેમ પાણિયારી હોય તે કૂવા ઉપર જળ સિંચવા
જેમ કોઈક પુરુષ ઘોડે ચડ્યો હોય ત્યારે ઘોડાના પેંગડામાં પગ હોય
• એવી રીતે શ્રીજીમહારાજે મોટા મોટા જે સંત તેની સ્થિતિ કહી દેખાડી ને પછી એમ બોલ્યા

તમારે સર્વેને પણ એવી રીતે અંતર સન્મુખ દૃષ્ટિ રાખીને નિરંતર ભગવાનની સેવામાં રહેવું અને ભગવાન વિના બીજાં પદાર્થ વહાલાં થવા દેવાં નહીં; એ વાતની અતિશય સાવધાની રાખવી. 

માટે પોતાની ભક્તિને નિર્વિઘ્ન રાખીને જે પરમેશ્વરનાં ચરણારવિંદને પામવાને ઇચ્છે તેને જાણપણારૂપ જે ભગવાનના ધામનો દરવાજો તેને વિષે સાવધાન થઈને રહેવું અને ભગવાન વિના બીજાં પદાર્થ ત્યાં પેસવા દેવાં નહીં.” 
એવી રીતે શ્રીજીમહારાજે પોતાના સર્વ ભક્તજનને શિક્ષાનાં વચન કહ્યાં.

નરેન્દ્ર રાઠોડ
Sydney Australia 
2-11-2023






My Family, Happy Family

My Family, Happy Family મારો પરિવાર,સુખી પરિવાર by Pujya Dr. Gnanvatsaldas Swami. પરિવારમાં એકબીજાની મર્યાદા જાણી લીધી પછી તેનાથી ટેવાઈ જવાન...