My Thoughts
Sunday, 12 July 2026
શેરબજારના પાઠ: ટ્રેડિંગમાં સફળતા મેળવવા માટેના ૫ પ્રભાવશાળી અને ચોંકાવનારા રહસ્યો
Sunday, 28 June 2026
જેઠ સુદ દસમ – શ્રીજી મહારાજની અંતર્ધ્યાન તિથી
⊍ જય શ્રી સ્વામિનારાયણ ⊍
મનમાં એક વિચાર આવ્યો કે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની સમાધી સ્થળનું - ગોંડલ અક્ષરદેરી જે આજના સમયમાં ખૂબ ચમત્કારિક અને દિવ્ય સ્થળ છે ત્યારે શ્રીજી મહારાજ જ્યારે અંતર ધ્યાન થયા અને ગઢપુર ખાતે લક્ષ્મીવાડીમાં તેમના સમાધિસ્થાનની તો જીવનમાં એક વખત મુલાકાત લેવી જ જોઈએ અને તેની મહાપૂજા અને અભિષેકનો પણ લાભ લેવો જોઈએ
તે વિચારથી સમય અમોએ જેઠ સુદ દસમ – શ્રીજી મહારાજની અંતર્ધ્યાન તિથી અને ૨૦૨૬ ની તારીખ ૨૪ જુન, ના રોજ ગઢપુર અને લક્ષ્મીવાડી ના દર્શન નું આયોજન પરિવાર સાથે ગોઠવીએ અને એક દિવ્ય અનુભવ અને આનંદ પ્રાપ્ત કર્યો વિશેષ મહિમા જાણીએ
ગઢપુર
सर्वा अवतार धरतारं अक्षरधाम प्रदायक:
वंदे सर्वोपरि देव: त्वं गोपीनाथजी मनोहरं
સવૉપરી ભગવાન શ્રી સ્વામિનારાયણ ની કર્મભૂમિ એટલે ગઢપુરધામ છે, ભગવાન સ્વામિનારાયણ 29 વર્ષ આ ભૂમિ પર રહ્યા છે.
ચરણોમાં રજે ભર્યા ભરપૂર રે .
સ્પર્શ રજ કરે દુઃખ દુર રે |
ધન્ય ધન્ય શેરી બજારને હાટ રે ||
- શ્રી પુરુષોત્તમપ્રકાશ ગ્રંથ.
ભગવાન સ્વામિનારાયણે ૯ ઓક્ટોબર ૧૮૨૮ ના રોજ આ મંદિરમાં મૂર્તિઓની સ્થાપના કરી હતી. મધ્યસ્થ મંદિરમાં ગોપીનાથ અને હરિકૃષ્ણ, પશ્ચિમ ધર્મસ્થળ પર ધર્મદેવ, ભક્તિમાતા અને વાસુદેવ અને પૂર્વ મંદિરમાં રેવતી-બળદેવજી, કૃષ્ણ અને સૂર્ય નારાયણ. હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પણ છે.
લક્ષ્મી વાડી
લક્ષ્મીવાડી (સ્વામિનારાયણ ભગવાન અંતિમ સંસ્કાર સ્થળ) ગઢપુરમાં આવેલું છે. ત્યાં ભગવાન સ્વામિનારાયણના નશ્વર અવશેષોની અંતિમ વિધિના સ્થળે એક જ ગુંબજવાળું મંદિર બનાવવામાં આવ્યું છે. થોડે આગળ, ત્યાં એક મંડપ છે જ્યાં ભગવાન સ્વામિનારાયણ બેસીને પ્રવચન આપતા હતા, અને થોડે આગળ, ત્યાં નિષ્કુળા નંદ સ્વામીનો એક ઓરડો છે, જ્યાં તેમણે ભગવાન સ્વામિનારાયણની અંતિમ યાત્રા માટે તેમના દ્વારા તૈયાર કરેલી પાલખી મૂકી હતી. લીમડાના ઝાડ સામે આ સ્થાન છે, અને તેની પશ્ચિમી બાજુએ, ત્યાં એક બીજું મંડપ છે જ્યાં ભગવાન સ્વામિનારાયણે 'શરદોત્સવ' ઉજવ્યો હતો.
ભગવાન શ્રી સ્વામિનારાયણ ને સવૉપરી કહેવાય છે એનુ મુખ્ય રસપ્રદ એક કારણ એ પણ છે, આજ સૂધી આટલા અવતારો થયા પણ ભગવાન શ્રી સ્વામિનારાયણ એ પોતાના અંગે અંગ ના માપ નું સ્વરૂપ ગઢપુરધામ મા શ્રી ગોપીનાથજી મહારાજને પોતાના હાથે પધરાવ્યા. ગઢપુર મંદિર માં બિરાજમાન શ્રી ગોપીનાથજી મહારાજનું સ્વરૂપ એ મહારાજ ની પ્રૌઢાવસ્થા (46 વર્ષ) નું સ્વરૂપ છે તથા હરિકૃષ્ણ મહારાજ નું સ્વરૂપ એ મહારાજ ની કિશોર અવસ્થા (16 વર્ષ) નું સ્વરૂપ છે.
ભગવાન શ્રી સ્વામિનારાયણ એ એમના શ્રીમુખે વચન આપતા કહ્યું છે,
આ ગોપીનાથજી મહારાજ નું સ્વરૂપ અને અમારા મા લેશ માત્ર ફેર ના જાણવો આ સ્વરૂપ મા અમે અખંડ બિરાજમાન રહીશું.
મહારાજ વારે વારે કહેતા "ગઢડું મારું ને હું ગઢડા નો એતો કદી ના મટવાનું".
શ્રીજી મહારાજ એ એમના શ્રી મુખે વચન આપતા કહ્યું છે .
" આ ગઢપુર મંદિર એતો અક્ષરધામ નું મધ્ય છે "
વળી મનકર્મને વચને રે , નિરખ્યા ગોપીનાથ જે જને રે |
તે તો પામશે અક્ષરધામ રે , થાશે જન તે પુરણ કામ રે ||
- શ્રી પુરુષોત્તમપ્રકાશ ગ્રંથ.
મહારાજ નું અતિ પ્રિય સ્થાન એટલે 'અક્ષર ઓરડી', મહારાજ રોજ અક્ષર ઓરડી મા પોઢતા અને ઘણીવાર મહારાજ ત્યાં એકાંત મા બેસતા અને ગોપાળાનંદ સ્વામિ નું દિક્ષા સ્થાન તથા મહારાજ આ ધરા પરથી સ્વધામ ગમન લિલા વખતે અંતિમ શ્વાસ અક્ષરધામ સમાન અક્ષર ઓરડી મા લીધો હતો.
લક્ષ્મીવાડી જે સ્થાનમા અત્યારે મંદિર છે એ સ્થાન રોજ મહારાજ જઈ ને માથું ટેકવતા અને કહેતા આ જગ્યા એ બધા અવતાર આવેલા છે તથા ભક્તચિંતામણી ની રચના લક્ષ્મીવાડી આ થઈ છે તથા મહારાજ નો અગ્નિ સંસ્કાર એજ જગ્યામા કરવામાં આવ્યો છે તથા ત્યાં મોટી બા નો બાજુ મા અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો છે કેમકે મોટી બા લક્ષ્મીજી નો અવતાર થી પ્રસિદ્ધ છે તથા આ વાડી એમના નામ થી ઓળખાય છે. મહારાજ 3 સ્વરૂપે લક્ષ્મીવાડી ના નિજ મંદીર મા બિરાજમાન છે (1) સહજનંદ સ્વામિની પ્રતિમા મા , (2) અસ્થિ કળશ તથા (3) દિવ્ય ચરણારવિંદ સ્વરૂપે બિરાજમાન છે.
Monday, 21 July 2025
My Family, Happy Family
Sunday, 26 January 2025
બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર, નારણપુરા ઘાટલોડીયા મંદીર -ખાત મુહુર્ત
બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર, નારણપુરા ઘાટલોડીયાનો આજે પોષ વદ બારસ તારીખ 26 જાન્યુઆરી 2025 ના રોજ સવારે સદગુરુ પુ. ઈશ્વર ચરણદાસ સ્વામીના હસ્તે ખાત મુહુર્ત વિધિ કરવામાં આવ્યો.
જેમાં અમદાવાદ મંદિરના કોઠારી પૂજ્ય ધર્મ તિલક સ્વામી, પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી, મધ્યસ્થ કાર્યાલય ના પૂ. યજ્ઞ પ્રિય સ્વામી તેમજ પૂજ્ય યોગેશ્વર સ્વામી અને અન્ય સંતો તેમજ નારણપુરા, ઘાટલોડીયા, સોલા અને વાડજના હરિભક્તોની વિશાળ હાજરીમાં આ પ્રસંગ યોજાઈ ગયો.
તમામ સંતો અને બાઈ ભાઈ હરિભક્તો દ્વારા મંદિર નિર્માણના પાયામાં ઇષ્ટિકા એટલે કે ઈંટ મૂકીને એક યાદગાર સ્મરણિય સત્સંગ પ્રવૃત્તિ કરી. ટુંક જ સમયમાં એટલે કે આવનાર દેવદિવાળીના દિવસે મંદિર તૈયાર કરી અને પ્રતિષ્ઠા કરવાનો પણ સંકલ્પ કરેલ છે.
આપણે સૌ તને મને ધને સેવા કરી ધન્ય બની આ સંકલ્પ પરિપૂર્ણ કરીએ અને ભગવાન અને સંતની પ્રસન્નતા પ્રાપ્ત કરીએ એ જ અભ્યર્થના સાથે જય સ્વામિનારાયણ.
નરેન્દ્ર રાઠોડ
અમદાવાદ
26-01-2025
Tuesday, 19 December 2023
ધીરજ
Thursday, 14 December 2023
અમેરિકા અક્ષરધામ મહોત્સવ
Tuesday, 12 December 2023
Think in new way
શેરબજારના પાઠ: ટ્રેડિંગમાં સફળતા મેળવવા માટેના ૫ પ્રભાવશાળી અને ચોંકાવનારા રહસ્યો
1. પ્રસ્તાવના શેરબજારમાં પ્રવેશતા દરેક ટ્રેડરના મનમાં બે લાગણીઓ સતત સંઘર્ષ કરતી હોય છે: રાતોરાત કમાઈ લેવાની કુતૂહલતા અને મૂડી ગુમાવવાનો ડર...
-
⊍ જય શ્રી સ્વામિનારાયણ ⊍ મનમાં એક વિચાર આવ્યો કે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની સમાધી સ્થળનું - ગોંડલ અક્ષરદેરી જે આજના સમયમાં ખ...
-
મારું ikigai તમારું જીવન જીવવાનું કારણ શું છે? જેમાં તમારો જુસ્સો, ધ્યેય, કૌશલ્ય અને વ્યવસાય એ બધાનો સમન્વય થાય છે.જેમાં એક પ્રત્યેક ...
-
ધીરજ ધક્કો મારવાનું નહીં, પરંતુ જીવન રમતની રાહ જોવાનું અને પ્રશંસા સાથે વિવેક કરવાનું શીખવે છે, એ જાણીને સમજીને જીવીશું તો સમય જતાં જીવન બદ...





