Sunday, 28 June 2026

જેઠ સુદ દસમ – શ્રીજી મહારાજની અંતર્ધ્યાન તિથી

  જય શ્રી સ્વામિનારાયણ

    મનમાં એક વિચાર આવ્યો કે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની સમાધી સ્થળનું - ગોંડલ અક્ષરદેરી  જે આજના સમયમાં ખૂબ ચમત્કારિક અને દિવ્ય સ્થળ છે ત્યારે શ્રીજી મહારાજ જ્યારે અંતર ધ્યાન થયા અને ગઢપુર ખાતે લક્ષ્મીવાડીમાં તેમના સમાધિસ્થાનની તો જીવનમાં એક વખત મુલાકાત લેવી જ જોઈએ અને તેની મહાપૂજા અને અભિષેકનો પણ લાભ લેવો જોઈએ

    તે વિચારથી સમય અમોએ જેઠ સુદ દસમ – શ્રીજી મહારાજની અંતર્ધ્યાન તિથી અને ૨૦૨૬ ની તારીખ ૨૪ જુન, ના રોજ ગઢપુર અને લક્ષ્મીવાડી ના દર્શન નું આયોજન પરિવાર સાથે ગોઠવીએ અને એક દિવ્ય અનુભવ અને આનંદ પ્રાપ્ત કર્યો વિશેષ મહિમા જાણીએ 

ગઢપુર 

सर्वा अवतार धरतारं अक्षरधाम प्रदायक:

वंदे सर्वोपरि देव: त्वं गोपीनाथजी मनोहरं


સવૉપરી ભગવાન શ્રી સ્વામિનારાયણ ની કર્મભૂમિ એટલે ગઢપુરધામ છે, ભગવાન સ્વામિનારાયણ 29 વર્ષ આ ભૂમિ પર રહ્યા છે.

ચરણોમાં રજે ભર્યા ભરપૂર રે . 

સ્પર્શ રજ કરે દુઃખ દુર રે |

ધન્ય ધન્ય શેરી બજારને હાટ રે ||

- શ્રી પુરુષોત્તમપ્રકાશ ગ્રંથ.

ભગવાન સ્વામિનારાયણે ૯ ઓક્ટોબર ૧૮૨૮ ના રોજ આ મંદિરમાં મૂર્તિઓની સ્થાપના કરી હતી. મધ્યસ્થ મંદિરમાં ગોપીનાથ અને હરિકૃષ્ણ, પશ્ચિમ ધર્મસ્થળ પર ધર્મદેવ, ભક્તિમાતા અને વાસુદેવ અને પૂર્વ મંદિરમાં રેવતી-બળદેવજી, કૃષ્ણ અને સૂર્ય નારાયણ. હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પણ છે.

લક્ષ્મી વાડી

લક્ષ્મીવાડી (સ્વામિનારાયણ ભગવાન અંતિમ સંસ્કાર સ્થળ) ગઢપુરમાં આવેલું છે. ત્યાં ભગવાન સ્વામિનારાયણના નશ્વર અવશેષોની અંતિમ વિધિના સ્થળે એક જ ગુંબજવાળું મંદિર બનાવવામાં આવ્યું છે. થોડે આગળ, ત્યાં એક મંડપ છે જ્યાં ભગવાન સ્વામિનારાયણ બેસીને પ્રવચન આપતા હતા, અને થોડે આગળ, ત્યાં નિષ્કુળા નંદ સ્વામીનો એક ઓરડો છે, જ્યાં તેમણે ભગવાન સ્વામિનારાયણની અંતિમ યાત્રા માટે તેમના દ્વારા તૈયાર કરેલી પાલખી મૂકી હતી. લીમડાના ઝાડ સામે આ સ્થાન છે, અને તેની પશ્ચિમી બાજુએ, ત્યાં એક બીજું મંડપ છે જ્યાં ભગવાન સ્વામિનારાયણે 'શરદોત્સવ' ઉજવ્યો હતો.

 

ભગવાન શ્રી સ્વામિનારાયણ ને સવૉપરી કહેવાય છે એનુ મુખ્ય રસપ્રદ એક કારણ એ પણ છે, આજ સૂધી આટલા અવતારો થયા પણ ભગવાન શ્રી સ્વામિનારાયણ એ પોતાના અંગે અંગ ના માપ નું સ્વરૂપ ગઢપુરધામ મા શ્રી ગોપીનાથજી મહારાજને  પોતાના હાથે પધરાવ્યા. ગઢપુર મંદિર માં બિરાજમાન શ્રી ગોપીનાથજી મહારાજનું સ્વરૂપ એ મહારાજ ની પ્રૌઢાવસ્થા (46 વર્ષ) નું સ્વરૂપ છે તથા હરિકૃષ્ણ મહારાજ નું સ્વરૂપ એ મહારાજ ની કિશોર અવસ્થા (16 વર્ષ) નું સ્વરૂપ છે.

 

ભગવાન શ્રી સ્વામિનારાયણ એ એમના શ્રીમુખે વચન આપતા કહ્યું છે,

આ ગોપીનાથજી મહારાજ નું સ્વરૂપ અને અમારા મા લેશ માત્ર ફેર ના જાણવો આ સ્વરૂપ મા અમે અખંડ બિરાજમાન રહીશું.

 

મહારાજ વારે વારે કહેતા "ગઢડું મારું ને હું ગઢડા નો એતો કદી ના મટવાનું".

 

શ્રીજી મહારાજ એ એમના શ્રી મુખે વચન આપતા કહ્યું છે .

" આ ગઢપુર મંદિર એતો અક્ષરધામ નું મધ્ય છે "

 

વળી મનકર્મને વચને રે , નિરખ્યા ગોપીનાથ જે જને રે |

તે તો પામશે અક્ષરધામ રે , થાશે જન તે પુરણ કામ રે ||

- શ્રી પુરુષોત્તમપ્રકાશ ગ્રંથ.

 

મહારાજ નું અતિ પ્રિય સ્થાન એટલે 'અક્ષર ઓરડી', મહારાજ રોજ અક્ષર ઓરડી મા પોઢતા અને ઘણીવાર મહારાજ ત્યાં એકાંત મા બેસતા અને ગોપાળાનંદ સ્વામિ નું દિક્ષા સ્થાન તથા મહારાજ આ ધરા પરથી સ્વધામ ગમન લિલા વખતે અંતિમ શ્વાસ અક્ષરધામ સમાન અક્ષર ઓરડી મા લીધો હતો.

 

લક્ષ્મીવાડી જે સ્થાનમા અત્યારે મંદિર છે એ સ્થાન રોજ મહારાજ જઈ ને માથું ટેકવતા અને કહેતા આ જગ્યા એ બધા અવતાર આવેલા છે તથા ભક્તચિંતામણી ની રચના લક્ષ્મીવાડી આ થઈ છે તથા મહારાજ નો અગ્નિ સંસ્કાર એજ જગ્યામા કરવામાં આવ્યો છે તથા ત્યાં મોટી બા નો બાજુ મા અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો છે કેમકે મોટી બા લક્ષ્મીજી નો અવતાર થી પ્રસિદ્ધ છે તથા આ વાડી એમના નામ થી ઓળખાય છે. મહારાજ 3 સ્વરૂપે લક્ષ્મીવાડી ના નિજ મંદીર મા બિરાજમાન છે (1) સહજનંદ સ્વામિની પ્રતિમા મા , (2) અસ્થિ કળશ તથા (3) દિવ્ય ચરણારવિંદ સ્વરૂપે બિરાજમાન છે.


Monday, 21 July 2025

My Family, Happy Family

My Family, Happy Family
મારો પરિવાર,સુખી પરિવાર
by Pujya Dr. Gnanvatsaldas Swami.

પરિવારમાં એકબીજાની મર્યાદા જાણી લીધી પછી તેનાથી ટેવાઈ જવાનું
Know your all family members 

શિસ્ત અને નિયમ
No social Network chatting 
Don't cross your red line
વડીલો પ્રત્યે આદર,પ્રેમ અને સેવા
સંપીને, સમજીને, સાથે રહેશો તો સુખી થશો.

સંતાનોને શિક્ષણ સાથે સંસ્કાર આપો
ભગવાન પ્રત્યેની શ્રદ્ધા જગાડો
જીવનમાં શ્રદ્ધા ભક્તિ દૃઢ કરો

ઘરસભા
વિશ્વશાંતિ આપશે

સમાપન
T - Tolerance - સહનશીલતા 
A - Acceptance - સ્વીકૃતિ 
A - Apology - માફી
C - Compromise - સમાધાન

Courtesy: Narendra Rathod 

Sunday, 26 January 2025

બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર, નારણપુરા ઘાટલોડીયા મંદીર -ખાત મુહુર્ત

 







બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર, નારણપુરા ઘાટલોડીયાનો આજે પોષ વદ બારસ તારીખ 26 જાન્યુઆરી 2025 ના રોજ સવારે સદગુરુ પુ. ઈશ્વર ચરણદાસ સ્વામીના હસ્તે ખાત મુહુર્ત વિધિ કરવામાં આવ્યો.

જેમાં અમદાવાદ મંદિરના કોઠારી પૂજ્ય ધર્મ તિલક સ્વામી, પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી, મધ્યસ્થ કાર્યાલય ના પૂ. યજ્ઞ પ્રિય સ્વામી તેમજ પૂજ્ય યોગેશ્વર સ્વામી અને અન્ય સંતો તેમજ નારણપુરા, ઘાટલોડીયા, સોલા અને વાડજના હરિભક્તોની વિશાળ હાજરીમાં આ પ્રસંગ યોજાઈ ગયો.

તમામ સંતો અને બાઈ ભાઈ હરિભક્તો દ્વારા મંદિર નિર્માણના પાયામાં ઇષ્ટિકા એટલે કે ઈંટ મૂકીને એક યાદગાર સ્મરણિય સત્સંગ પ્રવૃત્તિ કરી. ટુંક જ સમયમાં એટલે કે આવનાર દેવદિવાળીના દિવસે મંદિર તૈયાર કરી અને પ્રતિષ્ઠા કરવાનો પણ સંકલ્પ કરેલ છે.

આપણે સૌ તને મને ધને સેવા કરી ધન્ય બની આ સંકલ્પ પરિપૂર્ણ કરીએ અને ભગવાન અને સંતની પ્રસન્નતા પ્રાપ્ત કરીએ એ જ અભ્યર્થના સાથે જય સ્વામિનારાયણ.

નરેન્દ્ર રાઠોડ
અમદાવાદ
26-01-2025

Tuesday, 19 December 2023

ધીરજ

ધીરજ ધક્કો મારવાનું નહીં, પરંતુ જીવન રમતની રાહ જોવાનું અને પ્રશંસા સાથે વિવેક કરવાનું શીખવે છે, 
એ જાણીને સમજીને જીવીશું તો સમય જતાં જીવન બદલાઈને પલ્લવિત થઈજશે.

Thursday, 14 December 2023

અમેરિકા અક્ષરધામ મહોત્સવ


અમેરિકા અક્ષરધામ મહોત્સવ અંતર્ગત કોઈપણ વિડિયો જોવાની બાકી હોય તો આ લીંક દ્વારા જોઈ શકાશે.

Murti Pratishtha Ceremony Click

Celebrating Sanatan Dharma Click

Celebrating Indian Culture Click

Diksha Ceremony Click

Celebrating Values & Non-Violence Click

Celebrating Women’s Contribution Click

Murti Pratishtha Ceremony Click

Celebrating Interfaith Harmony Click

Celebrating Community Click 

Celebrating “In The Joy Of Others” (Pramukh Swami Maharaj Day) Click

Celebrating Spiritual Legacy (Mahant Swami Maharaj’s Birthday Celebrations) Click

Akshardham Murti Pratishtha Ceremony (Finale) Click 

Grand Dedication Ceremony Click


 જય સ્વામિનારાયણ
source: WhatsApp 

Tuesday, 12 December 2023

Think in new way

તમે જ તમારા વિચારો તમને તમારા ભાગ્યના નિર્માતા છો.

આજથી નવી રીતે વિચારો અને તમે નવા વ્યક્તિ બનશો. 

Give to the best you have
Best will come back to you
                - Narendra Rathod 
બધાને સુખ આપો અને તમે શાંતિથી જીવશો.  તમારા મનની શાંતિ, તમારી આસપાસની શાંતિની દુનિયા બનાવશો.
All the Best 👍

Sunday, 10 December 2023

બિલ્લી આવે તો ભાગ જાનાં....

બિલ્લી આવે તો ભાગ જાનાં....
એવો પ્રાપ્તિનો વિચાર થાય છે !!!!!!!

એટલે કે..
સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વના કર્તા કારણ અને નિયંતા ભગવાન સ્વામિનારાયણ છે
અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી મહારાજને રહેવું ધામ છે સત્પુરુષ છે

પ્રગટ ગુણાતીત સત્પુરુષ અખંડ સમ્યક પ્રકારે એ ભગવાનના ધારક સંત છે મોક્ષનું દ્વારા છે જે પ્રગટ પ્રમાણ મને સાક્ષાત મળ્યા છે મારા પ્રશ્નનો સાંભળ્યા છે, માર્ગદર્શન અને આશીર્વાદ આપી રહ્યા છે 

અને હું એ આ દેહ નથી હું પવિત્ર શાંત અને સર્વોચ્ચ દિવ્ય આત્મા છું અને મારામાં પણ એ પરમ પરમાત્માનો અંશ રહેલ છે 
હું અક્ષર છું મુક્ત છું પુરુષોત્તમ નો દાસ છું

મારા બહુ મોટા ભાગ્ય છે કે આ સત્સંગ, આ ભગવાન અને આ પ્રગટ સંત સાથે મારા દેહ અને આત્માનું મને જ્ઞાન થયું

વર્તમાન કાળે એજ પ્રગટ સત્પુરુષ ની આજ્ઞા છે કે ઉપર જણાવ્યા પ્રમાણે પ્રાપ્તિનો વિચાર સંત શાસ્ત્ર અને આજ્ઞા અને ઉપાસના મુજબ નિત્યપ્રત્યે ભાવથી અને અંતરના ઊંડાણથી કરવો 

નરેદ્ર રાઠોડ
10 ડિસેમ્બર 2023
10.05am
Sydney Australia 

જેઠ સુદ દસમ – શ્રીજી મહારાજની અંતર્ધ્યાન તિથી

  ⊍ જય શ્રી સ્વામિનારાયણ ⊍      મનમાં એક વિચાર આવ્યો કે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની સમાધી સ્થળનું - ગોંડલ અક્ષરદેરી  જે આજના સમયમાં ખ...