બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર, નારણપુરા ઘાટલોડીયાનો આજે પોષ વદ બારસ તારીખ 26 જાન્યુઆરી 2025 ના રોજ સવારે સદગુરુ પુ. ઈશ્વર ચરણદાસ સ્વામીના હસ્તે ખાત મુહુર્ત વિધિ કરવામાં આવ્યો.
જેમાં અમદાવાદ મંદિરના કોઠારી પૂજ્ય ધર્મ તિલક સ્વામી, પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી, મધ્યસ્થ કાર્યાલય ના પૂ. યજ્ઞ પ્રિય સ્વામી તેમજ પૂજ્ય યોગેશ્વર સ્વામી અને અન્ય સંતો તેમજ નારણપુરા, ઘાટલોડીયા, સોલા અને વાડજના હરિભક્તોની વિશાળ હાજરીમાં આ પ્રસંગ યોજાઈ ગયો.
તમામ સંતો અને બાઈ ભાઈ હરિભક્તો દ્વારા મંદિર નિર્માણના પાયામાં ઇષ્ટિકા એટલે કે ઈંટ મૂકીને એક યાદગાર સ્મરણિય સત્સંગ પ્રવૃત્તિ કરી. ટુંક જ સમયમાં એટલે કે આવનાર દેવદિવાળીના દિવસે મંદિર તૈયાર કરી અને પ્રતિષ્ઠા કરવાનો પણ સંકલ્પ કરેલ છે.
આપણે સૌ તને મને ધને સેવા કરી ધન્ય બની આ સંકલ્પ પરિપૂર્ણ કરીએ અને ભગવાન અને સંતની પ્રસન્નતા પ્રાપ્ત કરીએ એ જ અભ્યર્થના સાથે જય સ્વામિનારાયણ.
નરેન્દ્ર રાઠોડ
અમદાવાદ
26-01-2025





No comments:
Post a Comment