Thursday, 2 November 2023

ગઢડા અંત્ય ૯ - સારાંશ




             ગઢડા અંત્ય ૯ - સારાંશ 
જે અમારા મોટા મોટા પરમહંસ છે તેની જેવી સ્થિતિ છે ને સમજણ છે તે અમે તમને બાઈ-ભાઈ સર્વને કહીએ

પોતાના હૃદયને વિષે જે જાણપણું છે તે ભગવાનના ધામનો દરવાજો છે. તે દરવાજા ઉપર સર્વ સંત ઊભા છે. 

તો તે દૃષ્ટાંતે કરીને કહીએ છીએ જે
• જેમ રાજાના ચાકર છે
• જેમ પાણિયારી હોય તે કૂવા ઉપર જળ સિંચવા
જેમ કોઈક પુરુષ ઘોડે ચડ્યો હોય ત્યારે ઘોડાના પેંગડામાં પગ હોય
• એવી રીતે શ્રીજીમહારાજે મોટા મોટા જે સંત તેની સ્થિતિ કહી દેખાડી ને પછી એમ બોલ્યા

તમારે સર્વેને પણ એવી રીતે અંતર સન્મુખ દૃષ્ટિ રાખીને નિરંતર ભગવાનની સેવામાં રહેવું અને ભગવાન વિના બીજાં પદાર્થ વહાલાં થવા દેવાં નહીં; એ વાતની અતિશય સાવધાની રાખવી. 

માટે પોતાની ભક્તિને નિર્વિઘ્ન રાખીને જે પરમેશ્વરનાં ચરણારવિંદને પામવાને ઇચ્છે તેને જાણપણારૂપ જે ભગવાનના ધામનો દરવાજો તેને વિષે સાવધાન થઈને રહેવું અને ભગવાન વિના બીજાં પદાર્થ ત્યાં પેસવા દેવાં નહીં.” 
એવી રીતે શ્રીજીમહારાજે પોતાના સર્વ ભક્તજનને શિક્ષાનાં વચન કહ્યાં.

નરેન્દ્ર રાઠોડ
Sydney Australia 
2-11-2023






My Family, Happy Family

My Family, Happy Family મારો પરિવાર,સુખી પરિવાર by Pujya Dr. Gnanvatsaldas Swami. પરિવારમાં એકબીજાની મર્યાદા જાણી લીધી પછી તેનાથી ટેવાઈ જવાન...