Sunday, 12 July 2026
શેરબજારના પાઠ: ટ્રેડિંગમાં સફળતા મેળવવા માટેના ૫ પ્રભાવશાળી અને ચોંકાવનારા રહસ્યો
Sunday, 28 June 2026
જેઠ સુદ દસમ – શ્રીજી મહારાજની અંતર્ધ્યાન તિથી
⊍ જય શ્રી સ્વામિનારાયણ ⊍
મનમાં એક વિચાર આવ્યો કે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની સમાધી સ્થળનું - ગોંડલ અક્ષરદેરી જે આજના સમયમાં ખૂબ ચમત્કારિક અને દિવ્ય સ્થળ છે ત્યારે શ્રીજી મહારાજ જ્યારે અંતર ધ્યાન થયા અને ગઢપુર ખાતે લક્ષ્મીવાડીમાં તેમના સમાધિસ્થાનની તો જીવનમાં એક વખત મુલાકાત લેવી જ જોઈએ અને તેની મહાપૂજા અને અભિષેકનો પણ લાભ લેવો જોઈએ
તે વિચારથી સમય અમોએ જેઠ સુદ દસમ – શ્રીજી મહારાજની અંતર્ધ્યાન તિથી અને ૨૦૨૬ ની તારીખ ૨૪ જુન, ના રોજ ગઢપુર અને લક્ષ્મીવાડી ના દર્શન નું આયોજન પરિવાર સાથે ગોઠવીએ અને એક દિવ્ય અનુભવ અને આનંદ પ્રાપ્ત કર્યો વિશેષ મહિમા જાણીએ
ગઢપુર
सर्वा अवतार धरतारं अक्षरधाम प्रदायक:
वंदे सर्वोपरि देव: त्वं गोपीनाथजी मनोहरं
સવૉપરી ભગવાન શ્રી સ્વામિનારાયણ ની કર્મભૂમિ એટલે ગઢપુરધામ છે, ભગવાન સ્વામિનારાયણ 29 વર્ષ આ ભૂમિ પર રહ્યા છે.
ચરણોમાં રજે ભર્યા ભરપૂર રે .
સ્પર્શ રજ કરે દુઃખ દુર રે |
ધન્ય ધન્ય શેરી બજારને હાટ રે ||
- શ્રી પુરુષોત્તમપ્રકાશ ગ્રંથ.
ભગવાન સ્વામિનારાયણે ૯ ઓક્ટોબર ૧૮૨૮ ના રોજ આ મંદિરમાં મૂર્તિઓની સ્થાપના કરી હતી. મધ્યસ્થ મંદિરમાં ગોપીનાથ અને હરિકૃષ્ણ, પશ્ચિમ ધર્મસ્થળ પર ધર્મદેવ, ભક્તિમાતા અને વાસુદેવ અને પૂર્વ મંદિરમાં રેવતી-બળદેવજી, કૃષ્ણ અને સૂર્ય નારાયણ. હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પણ છે.
લક્ષ્મી વાડી
લક્ષ્મીવાડી (સ્વામિનારાયણ ભગવાન અંતિમ સંસ્કાર સ્થળ) ગઢપુરમાં આવેલું છે. ત્યાં ભગવાન સ્વામિનારાયણના નશ્વર અવશેષોની અંતિમ વિધિના સ્થળે એક જ ગુંબજવાળું મંદિર બનાવવામાં આવ્યું છે. થોડે આગળ, ત્યાં એક મંડપ છે જ્યાં ભગવાન સ્વામિનારાયણ બેસીને પ્રવચન આપતા હતા, અને થોડે આગળ, ત્યાં નિષ્કુળા નંદ સ્વામીનો એક ઓરડો છે, જ્યાં તેમણે ભગવાન સ્વામિનારાયણની અંતિમ યાત્રા માટે તેમના દ્વારા તૈયાર કરેલી પાલખી મૂકી હતી. લીમડાના ઝાડ સામે આ સ્થાન છે, અને તેની પશ્ચિમી બાજુએ, ત્યાં એક બીજું મંડપ છે જ્યાં ભગવાન સ્વામિનારાયણે 'શરદોત્સવ' ઉજવ્યો હતો.
ભગવાન શ્રી સ્વામિનારાયણ ને સવૉપરી કહેવાય છે એનુ મુખ્ય રસપ્રદ એક કારણ એ પણ છે, આજ સૂધી આટલા અવતારો થયા પણ ભગવાન શ્રી સ્વામિનારાયણ એ પોતાના અંગે અંગ ના માપ નું સ્વરૂપ ગઢપુરધામ મા શ્રી ગોપીનાથજી મહારાજને પોતાના હાથે પધરાવ્યા. ગઢપુર મંદિર માં બિરાજમાન શ્રી ગોપીનાથજી મહારાજનું સ્વરૂપ એ મહારાજ ની પ્રૌઢાવસ્થા (46 વર્ષ) નું સ્વરૂપ છે તથા હરિકૃષ્ણ મહારાજ નું સ્વરૂપ એ મહારાજ ની કિશોર અવસ્થા (16 વર્ષ) નું સ્વરૂપ છે.
ભગવાન શ્રી સ્વામિનારાયણ એ એમના શ્રીમુખે વચન આપતા કહ્યું છે,
આ ગોપીનાથજી મહારાજ નું સ્વરૂપ અને અમારા મા લેશ માત્ર ફેર ના જાણવો આ સ્વરૂપ મા અમે અખંડ બિરાજમાન રહીશું.
મહારાજ વારે વારે કહેતા "ગઢડું મારું ને હું ગઢડા નો એતો કદી ના મટવાનું".
શ્રીજી મહારાજ એ એમના શ્રી મુખે વચન આપતા કહ્યું છે .
" આ ગઢપુર મંદિર એતો અક્ષરધામ નું મધ્ય છે "
વળી મનકર્મને વચને રે , નિરખ્યા ગોપીનાથ જે જને રે |
તે તો પામશે અક્ષરધામ રે , થાશે જન તે પુરણ કામ રે ||
- શ્રી પુરુષોત્તમપ્રકાશ ગ્રંથ.
મહારાજ નું અતિ પ્રિય સ્થાન એટલે 'અક્ષર ઓરડી', મહારાજ રોજ અક્ષર ઓરડી મા પોઢતા અને ઘણીવાર મહારાજ ત્યાં એકાંત મા બેસતા અને ગોપાળાનંદ સ્વામિ નું દિક્ષા સ્થાન તથા મહારાજ આ ધરા પરથી સ્વધામ ગમન લિલા વખતે અંતિમ શ્વાસ અક્ષરધામ સમાન અક્ષર ઓરડી મા લીધો હતો.
લક્ષ્મીવાડી જે સ્થાનમા અત્યારે મંદિર છે એ સ્થાન રોજ મહારાજ જઈ ને માથું ટેકવતા અને કહેતા આ જગ્યા એ બધા અવતાર આવેલા છે તથા ભક્તચિંતામણી ની રચના લક્ષ્મીવાડી આ થઈ છે તથા મહારાજ નો અગ્નિ સંસ્કાર એજ જગ્યામા કરવામાં આવ્યો છે તથા ત્યાં મોટી બા નો બાજુ મા અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો છે કેમકે મોટી બા લક્ષ્મીજી નો અવતાર થી પ્રસિદ્ધ છે તથા આ વાડી એમના નામ થી ઓળખાય છે. મહારાજ 3 સ્વરૂપે લક્ષ્મીવાડી ના નિજ મંદીર મા બિરાજમાન છે (1) સહજનંદ સ્વામિની પ્રતિમા મા , (2) અસ્થિ કળશ તથા (3) દિવ્ય ચરણારવિંદ સ્વરૂપે બિરાજમાન છે.
Monday, 21 July 2025
My Family, Happy Family
Sunday, 26 January 2025
બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર, નારણપુરા ઘાટલોડીયા મંદીર -ખાત મુહુર્ત
બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર, નારણપુરા ઘાટલોડીયાનો આજે પોષ વદ બારસ તારીખ 26 જાન્યુઆરી 2025 ના રોજ સવારે સદગુરુ પુ. ઈશ્વર ચરણદાસ સ્વામીના હસ્તે ખાત મુહુર્ત વિધિ કરવામાં આવ્યો.
જેમાં અમદાવાદ મંદિરના કોઠારી પૂજ્ય ધર્મ તિલક સ્વામી, પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી, મધ્યસ્થ કાર્યાલય ના પૂ. યજ્ઞ પ્રિય સ્વામી તેમજ પૂજ્ય યોગેશ્વર સ્વામી અને અન્ય સંતો તેમજ નારણપુરા, ઘાટલોડીયા, સોલા અને વાડજના હરિભક્તોની વિશાળ હાજરીમાં આ પ્રસંગ યોજાઈ ગયો.
તમામ સંતો અને બાઈ ભાઈ હરિભક્તો દ્વારા મંદિર નિર્માણના પાયામાં ઇષ્ટિકા એટલે કે ઈંટ મૂકીને એક યાદગાર સ્મરણિય સત્સંગ પ્રવૃત્તિ કરી. ટુંક જ સમયમાં એટલે કે આવનાર દેવદિવાળીના દિવસે મંદિર તૈયાર કરી અને પ્રતિષ્ઠા કરવાનો પણ સંકલ્પ કરેલ છે.
આપણે સૌ તને મને ધને સેવા કરી ધન્ય બની આ સંકલ્પ પરિપૂર્ણ કરીએ અને ભગવાન અને સંતની પ્રસન્નતા પ્રાપ્ત કરીએ એ જ અભ્યર્થના સાથે જય સ્વામિનારાયણ.
નરેન્દ્ર રાઠોડ
અમદાવાદ
26-01-2025
Tuesday, 19 December 2023
ધીરજ
Thursday, 14 December 2023
અમેરિકા અક્ષરધામ મહોત્સવ
Tuesday, 12 December 2023
Think in new way
Sunday, 10 December 2023
બિલ્લી આવે તો ભાગ જાનાં....
Thursday, 2 November 2023
ગઢડા અંત્ય ૯ - સારાંશ
Monday, 16 October 2023
ઉડી ગયેલા (ફ્યુઝડ) બલ્બની ક્લબ
Wednesday, 27 September 2023
પરિવર્તન
Tuesday, 18 July 2023
Thought & Cloud Technology
Sunday, 9 April 2023
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ની રાખે આપ મુલાકાત લેવાનું ચુકી ગયા હોવ, તો ચાલો નગરના બધા જ એટ્રેકશન મુલાકાત લઇ આવીએ,
જો રખેને આપ,
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની રાખે આપ મુલાકાત લેવાનું ચુકી ગયા હોવ તો
ચાલો નગરના બધા જ એટ્રેકશન મુલાકાત લઇ આવીએ, લાઈનમાં ઉભા રહ્યા વગર …...
પ્રેરક અને પ્રભાવક પ્રદર્શન સૃષ્ટિ
પ્રદર્શન - ૧ સંત પરમ હિતકારી
સંત પરમ હિતકારી - વ્યક્તિથી લઈ વિશ્વનું પરમ હિત કરનાર પ્રમુખસ્વામી મહારાજના હૃદયની ઝાંખી કરાવતું ચિત્રપટ અને આઠ લાખ બબલ્સમાં રંગ ભરીને બનાવેલી પ્રમુખસ્વામી મહારાજની કલાત્મક મૂર્તિ અત્રે રજૂ કરવામાં આવેલ
પ્રદર્શન - ૨ તૂટે હૃદય તૂટે ઘર
તૂટે હૃદય તૂટે ઘર - અનેક કુટુંબોના મોભી અને માર્ગદર્શન બનેલા પ્રમુખસ્વામી મહારાજ એ પારિવારિક શાંતિ માટે આપેલ સોનેરી - સૂત્ર : ઘર સભા Click here
પ્રદર્શન - ૩ નારી ઉત્કર્ષ મંડપમ
નારી ઉત્કર્ષ મંડપમ - પ્રમુખસ્વામી મહારાજે પ્રવર્તતા આવેલી મહિલા ઉત્કર્ષ પ્રવૃત્તિ દ્વારા પ્રગતિના સોપાન સર કરેલી મહિલાઓ બીજાના સુખમાં આપણું સુખ બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ એ આધારિત કાર્યક્રમ અત્રે રજૂ કરેલ છે
પ્રદર્શન - ૪ ચાલો, તો દે યે બંધન
બંધન કરોળિયાના ઝાડા જેવું નાજુક છતાં જકડી લીધી એવું વ્યસનનું બંધન માનવીને મલિન કરે છે તો વ્યસન મુક્તિ સરસ રીતે અત્રે નિરૂપણ કરવામાં આવેલ છે Click here
પ્રદર્શન - ૫ હમારા ભારત, મેરા ભારત
હમારા ભારત, મેરા - ભારત પ્રમુખસ્વામી મહારાજના જીવન અને ઉપદેશમાંથી રાષ્ટ્ર પ્રત્યેની આપણી ફરજ શીખવતા અભિનય વિડિયો દ્વારા રચનાત્મક શબ્દ નૃત્યના સંયોજનથી રાષ્ટ્ર ભક્તિ દ્રઢાવવામાં આવી છે Click here
પ્રદર્શન - ૬ સહજાનંદ જ્યોતિ મંડપમ
સહજાનંદ જ્યોતિ મંડપમ લાખોને સહજ આનંદ આપનાર ભગવાન સ્વામિનારાયણની જીવન જ્યોતિ નું દર્શન કરાવતો આ શો જ્યોતિ ઉદ્યાનના જગમગાટમાં ઝાંખી કરાવે છે.
બાળ પ્રદર્શન ખંડો
૧. સી ઓફ સુવર્ણા (સુવર્ણા નો સમુદ્ર)
પ્રમુખસ્વામી મહારાજે આપેલું સફળતાનું સોનેરી સૂત્ર દ્રઢ આવતી આ પ્રસ્તુતિમાં બીએપીએસની 270 બાલિકાઓના નૃત્ય અભિનય દ્વારા સાગર તરંગો અને જળ સૃષ્ટિ મંચ પર જીવંત પ્રસારણ રજૂ કરેલ છે Click here
૨. વિલેજ ઓફ બુઝો (બુઝોનું ગામ)
બાળકોને માતા-પિતાના ઉપકારો નું ઋણ સ્મરણ કરાવતી વાર્તા જીવંત અભિને અને વિડિયો દ્વારા પ્રસ્તુત કરેલ છે
૩. જંગલ ઓફ શેરૂ (શેરૂનું જંગલ)
પ્રમુખસ્વામી મહારાજ બાળકોને પ્રેરણા આપતી જે વાર્તા કહેતા તે જંગલ અને વન્ય પ્રાણીઓની સૃષ્ટિ ની વાર્તા 300 બાળકોના નૃત્ય અભિની દ્વારા રજૂ થયેલ છે. Click here
લાઇટ એન્ડ સાઉન્ડ શો
મહોત્સવ પૂર્ણ પુરુશ કા
લાઇટ એન્ડ સાઉન્ડ શો અનેક જીવનને પૂર્ણતા આપનાર પૂર્ણ પુરુષ પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવના દિવ્ય આનંદની અનુભૂતિ કરાવતો આસો થ્રીડી પ્રોજેક્શન મેપિંગ અને 575 કરતાં પણ વધુ બાળકો દ્વારા રજુ કરવામાં આવેલ છે Click here
ગ્લો ગાર્ડન - પ્રમુખ જ્યોતિ ઉદ્યાન
શ્રધાની જ્યોતિથી અનેકના જીવનની અંદરના અંધકાર દુર કરનાર પ્રમુખ સ્વામી મહારાજના સંદેશાની અદ્ભુત પ્રસ્તુતિ - પ્રમુખ જ્યોતિ ઉદ્યાન Click here
Wednesday, 29 March 2023
દાર્શનિક લોકોએ આપેલ સુક્તિ-રત્નો
દાર્શનિક લોકોએ આપેલ સુક્તિ-રત્નો
· હું દુનિયામાં બુદ્ધિશાળી વ્યક્તિ છું – કારણકે
મને ખબર છે કે મને કઈ ખબર નથી, જે પોતાની અજ્ઞાનતાને જાણે છે તે જ બુદ્ધિશાળી છે.
· સમય કાઢીને ચોક્કસ પુસ્તકો વાંચવી જોઈએ કારણકે
પુસ્તકમાં જ્ઞાનની સાથે લોકોના અનુભવ પણ હોય છે. જે અમુલ્ય છે.
· વ્યક્તિની સૌથી મોટી તાકાત તેના વિચાર અને
બુદ્ધિ છે તે જેવું વિચારે છે તેવો બની જાય છે. તમે જેવી વિચારશો તેવા બની જશો
· વ્યક્તિએ પોતાની નબળાઈઓ જાણવી જોઈએ અને તેને દૂર
કરતો રહેશે એટલો જ એ મજબુત થતો જશે.
· વ્યક્તિની અંદર સંતોષનો ગુણ હોવો જોઈએ, સંતોષ એ
જ મોટું ધન છે
· વ્યક્તિએ પોતાની ઈચ્છાઓ ઉપર કાબુ રાખવો જોઈએ,
નહીતો પોતાના ઉપર જ નફરત નો ભાવ પ્રગટ થશે
· વ્યક્તિએ સચ્ચાઇ સાથે જીવવું જોઈએ અને સચ્ચાઈનો
જ સાથ આપવો જોઈએ
· કોઈપણ વ્યકિતના જીવનમાં આળસ ન હોવી જોઈએ અન્યથા
તે મૂલ્યહીન બની જાય છે
· વ્યક્તિએ ક્યારેય ખોટું ન બોલવું જોઈએ તેમ
કરવાથી મન મેલું થઇ જય છે
· ક્યારેય પણ ખોટી વ્યક્તિ, વિચાર અને કાર્ય નો સાથ ન આપવો જોઈએ, તે આપણી સારપ ને ખતમ કરી નાંખે છે
· વ્યક્તિએ બીજા સાથે એવો જ વ્યવહાર કરવો જોઈએ
જેવો પોતાની સાથે રાખવા ઈચ્છે છે
· એક સાચો વ્યક્તિ નાના બાળક જેવો માસુમ અને કોમલ
સ્વભાવનો હોય છે
· વ્યક્તિએ પોતાની જાત સાથે દિવસમાં એક વાર વાત
કરવી જ જોઈએ કે જેથી પોતાના વિશે ખબર પડે
· જે વ્યક્તિ પોતાના ઉપર કન્ટ્રોલ નિયંત્રણ કરી
શકે છે, તે જ દુનિયામાં બીજા ઉપર કંટ્રોલ કરી શકે છે
· કોઇપણ સમસ્યાને બરોબર સમજવાથી, સમાધાન સુધી
પહોચવાનો અડધો રસ્તો ત્યાંથી જ મળી જાય છે
· મારા વિચારો બીજા કોઈને કઈ શીખવે કે ન શીખવે પણ, મારા વિચારે તેને પોતાના માટે વિચાર કરતો તો
અવશ્ય કરી દે છે
· દરેક વ્યક્તિએ લગ્ન તો કરવા જ જોઈએ, જો સારી
પત્ની મળી તો ખુશીઓ મળશે, અને ન મળી તો જરૂર
દાર્શનિક તો બની જ જશો.
· સમસ્યા વગરનું જીવન શક્ય જ નથી અને સમસ્યા જ
આપણને જીવનનું મુલ્ય સમજાવે છે.
· વ્યક્તિના જીવનમાં સૌથી મુલ્યવાન ચીજ છે જ્ઞાન, અને સૌથી ખરાબ ચીજ છે અજ્ઞાન.
· પરિવર્તનનો નિયમ છે બિનજરૂરી ચીજોને છોડીને નવી
ચીજોનું નિર્માણ કરવું.
· વ્યક્તિની અંદરનું આશ્ચર્ય જ એ છે કે રહસ્યમય
ચીજો ઉપરથી પડદો ઉપાડી ને તેને બુદ્ધિમાન બનાવે છે
· વ્યક્તિએ દરેક જીવ પ્રત્યે દયા રાખવી જોઈએ કેમકે
દરેક જીવ પોતાના ક્ષેત્રમાં સંઘર્ષ કરતા જ હોય છે
· શિક્ષણ એ વ્યક્તિના જીવનમાં અગ્નિ પ્રજ્વલિત
કરવાનું કામ કરે છે નહિ કે તેને વાસણમાં ભરવાનું
· વ્યક્તિએ કોઈની સાથે જો મિત્રતા કરે તો
દ્રઢતાથી તેને નિભાવી જોઈએ અન્યથા તે ન જ કરવી જોઈએ
· જે વ્યક્તિ મૂલ્યહીન હોય છે તે ફક્ત ખાવા અને
પીવાની જ બાબત વાત કરે છે જયારે જે વ્યક્તિ મુલ્યવાન હોય તે જીવનના મુલ્યો વિશે પણ
વિચારે છે
· જે વ્યક્તિને પોતાના અવગુણ અને બીજાના સદગુણ ની
ખબર છે તે જ વ્યક્તિ જીવનમાં ખુબ સફળ બની શકે છે
· જિંદગીનો ખરો આનંદ કીમતી વસ્તુઓ પ્રાપ્ત
કરવામાં નથી, પણ પોતાની પાસે જે ચીજ
છે તેનો આનંદ લેવામાં છે
· મહાન વ્યક્તિ જીવનના મુલ્યો ઉપર ચર્ચા કરે છે,
સામાન્ય વ્યક્તિ દુનિયાની ઘટના ઉપર ચર્ચા કરે છે જયારે નિમ્ન કોટીના વ્યક્તિઓ એકબીજાની
ચુગ્લીઓ કરતી હોય છે
· વ્યક્તિ માટે સૌથી અઘરું હોય તો તેની મનની ચંચળતા
દૂર કરવી તે છે
· પ્રકૃતિએ આપણા સૌને આપેલ ચીજોને વિવેક પૂર્વક નો
ઉપયોગ લોકોની ભલાઈ માટે જ થવો જોઈએ
· વ્યક્તિએ ભગવાન સૌનું ભલું કરો એવી પ્રાર્થના
કરવી જોઈએ
· આળસ જીવતી વ્યક્તિની કબર સમાન છે
· વ્યક્તિ પૈસાથી ગુણવાન બની નથી શકતો પરંતુ સારા
ગુણોથી તે જરૂર અમીર બની જાય છે
· વ્યક્તિ માટે સૌથી મહત્વનું જ્ઞાન છે ધન નહિ, કારણ કે ધન તો અસ્થિર છે પણ જ્ઞાન હમેશા સાથે
રહે છે
· વ્યક્તિ જો પોતાની ભૂલો સુધરતો રહે તો જરૂર એક
દિવસ તે મહાન બની શકે છે
· જ્ઞાનની શરૂઆત જ આશ્ચર્યથી થતી હોય છે
· ઈર્ષ્યા વ્યક્તિની અંદર એક બીમારીની જેમ હોય છે
· દુનિયાનું સૌથી કઠીન કામ પોતાની જાત ઉપર
કંટ્રોલ કરવો
· વ્યક્તિએ બીજાની ભૂલો જોઇને પોતાનામાં સુધારો
લાવવો જોઈએ
· કોઈ ખોટી વ્યક્તિને સાથ આપવો એ એક ભૂલ સમાન જ
છે
· મનમાં લીધેલો કોઇપણ સંકલ્પ આપ પૂરો કરી શકો છો
· બુદ્ધિમાન લોકો પોતાની અજ્ઞાનતાને જાણે છે,
મુર્ખ તે જાણતો નથી
નરેન્દ્ર રાઠોડ
અમદાવાદ
તારીખ: ૨૯-૦૩-૨૦૨૩
01.48 am
Tuesday, 1 November 2022
PSM100 "પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ" બોસ્ટન અમેરિકા
Tuesday, 25 October 2022
તમે તમારા જ Goal setting જાણી શકશો.
નીચે દર્શાવેલી જો એક્સરસાઇઝ સાચી રીતે કરવામાં આવે તો
હું જીવનમાં કયા ધ્યેયની કે ગોલની પ્રાપ્તિ કરવા ઈચ્છું છું. તે બહુ સ્પષ્ટ થઈ જશે
જેમાં બીજા કોઈને પૂછવાની કે જાણવાની જરૂર રહેશે નહીં
(1) એવું કહ્યું કામ કે વિષય છે કે જે તમને ખૂબ ગમે છે જેની સતત આતુરતા અને ઈચ્છા રહે છે
(2) એવું કયું કામ છે કે જેના માટે તમારે કોઈ સમય ફાળવવો પડતો નથી અને તે સહજ થઈ જાય છે
(3) એ કયો વિષય કે કામ છે જે કરવામાં તમને અંદરથી જ પોતાના આઈડિયા સુઝે છે અને વળી તમને એ
કરવાની ખૂબ મજા પડે છે
(4) એ કયો વિષય કે કાર્ય છે કે જેમાં તમને એ કરવામાં સમય પસાર કર્યા નો કોઈ થાક લાગતો નથી પરંતુ
તમે તે કર્યા પછી તાજા મજા થઈ જાઓ છો કે શક્તિશાળી બની જાવ છો અને ખૂબ ગમે છે
(5) છેલ્લે એવો કયો વિષય કે કામ છે જે કરવા માટે તમને કોઈ પણ પ્રકારના વખાણ, પૈસા કે કોઈ ટીકાની
પડી જ નથી છતાં તમે તેને કરવા માંગો છો અને તે કરવનો ખુબ આનદ આવે છે
આ એક્સરસાઇઝનો ફાયદો એ થશે જે તમારે જીવનમાં ખરેખર શું જોઈએ છે તે જાણી શકાશે અને તે તરફ આપની હાલ કેવી અને ક્યાં ગતિ છે તે પણ તમે જાણી શકશો.
તેમજ આવીજ બાબતને વધારે સ્પષ્ટતા કરતી જાપાનીસ એક બુક છે. The Best seller Japanese Book : IKIGAI : shows - The secret of the Happy and Happiness in the life. તેની વિભાવના ઉપર પણ આપણે એક નજર મારવી હોય તો નીચેની લીંક પર ક્લિક કરવા વિનંતી છે.
click here : to know my IKIGAI
નરેન્દ્ર રાઠોડ
બોસ્ટન યુએસએ
તારીખ ઓક્ટોબર 2022 સવારના 10:56
શેરબજારના પાઠ: ટ્રેડિંગમાં સફળતા મેળવવા માટેના ૫ પ્રભાવશાળી અને ચોંકાવનારા રહસ્યો
1. પ્રસ્તાવના શેરબજારમાં પ્રવેશતા દરેક ટ્રેડરના મનમાં બે લાગણીઓ સતત સંઘર્ષ કરતી હોય છે: રાતોરાત કમાઈ લેવાની કુતૂહલતા અને મૂડી ગુમાવવાનો ડર...
-
⊍ જય શ્રી સ્વામિનારાયણ ⊍ મનમાં એક વિચાર આવ્યો કે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની સમાધી સ્થળનું - ગોંડલ અક્ષરદેરી જે આજના સમયમાં ખ...
-
1. પ્રસ્તાવના શેરબજારમાં પ્રવેશતા દરેક ટ્રેડરના મનમાં બે લાગણીઓ સતત સંઘર્ષ કરતી હોય છે: રાતોરાત કમાઈ લેવાની કુતૂહલતા અને મૂડી ગુમાવવાનો ડર...
-
મારું ikigai તમારું જીવન જીવવાનું કારણ શું છે? જેમાં તમારો જુસ્સો, ધ્યેય, કૌશલ્ય અને વ્યવસાય એ બધાનો સમન્વય થાય છે.જેમાં એક પ્રત્યેક ...





